બજેટ 2026 પહેલા મોટી ખુશખબરી, ભારતનો વિદેશી હૂંડિયામણ ભંડાર રેકોર્ડ સ્તરે પહોંચ્યો,

By: Nation Gujarat Team
31 Jan, 2026

India’s Forex Reserve: 1 ફેબ્રુઆરીએ કેન્દ્રીય બજેટ રજૂ થવાનું છે અને શેરબજારથી લઈને રૂપિયા સુધી દરેક વસ્તુમાં નોંધપાત્ર વધઘટ થઈ રહી છે, ત્યારે દેશ માટે નોંધપાત્ર રાહતના સમાચાર આવ્યા છે. આ સમાચાર ભારત પર ઊંચા ટેરિફ લાદનારા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને અસ્વસ્થ કરી શકે છે, પરંતુ તે ચીન અને પાકિસ્તાન જેવા દેશોની ચિંતાઓમાં પણ વધારો કરી શકે છે.

ખરેખર, 23 જાન્યુઆરીએ પૂરા થયેલા સપ્તાહમાં ભારતનો વિદેશી હૂંડિયામણ ભંડાર 8.05 અબજ ડોલર વધીને 709.41  અબજ ડોલરના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચ્યો છે.

વિદેશી હૂંડિયામણ સંપત્તિમાં વધારો

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) અનુસાર, દેશનો કુલ વિદેશી હૂંડિયામણ ભંડાર પાછલા સપ્તાહમાં 14.16  અબજ ડોલર વધીને 701.36  અબજ ડોલર થયો છે. અગાઉ, સપ્ટેમ્બર 2024 માં વિદેશી હૂંડિયામણ ભંડાર 704.89  અબજ ડોલર સુધી પહોંચ્યો હતો. જો કે, તાજેતરના મહિનાઓમાં આ ભંડારનો ઉપયોગ રૂપિયામાં અતિશય વધઘટને નિયંત્રિત કરવા માટે કરવામાં આવ્યો છે, જેના કારણે દબાણ આવ્યું છે.

RBI ના ડેટા અનુસાર, 23 જાન્યુઆરીના રોજ પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી ચલણ ભંડારનો સૌથી મોટો ઘટક વિદેશી ચલણ સંપત્તિ (FCA) 2.36  અરબ ડૉલર વધીને 562.88 અરબ ડૉલર થઈ ગઈ છે. ડોલરમાં દર્શાવવામાં આવેલી આ સંપત્તિઓમાં યુરો, પાઉન્ડ અને જાપાનીઝ યેન જેવી બિન-યુએસ ચલણોમાં વધઘટની અસર પણ શામેલ છે.

સોનાના ભંડારમાં પણ મજબૂતી આવી

સમીક્ષા હેઠળના સપ્તાહમાં સોનાના ભંડારનું મૂલ્ય 5.63 અરબ ડૉલર વધીને 123.08 અરબ ડૉલર પહોંચી ગયું. આ સિવાય વિશષ આહરણ અધિકાર (SDR) માં 3.3  કરોડ ડૉલર વધી 18.73 અરબ ડલર થયું. આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) સાથે ભારતની આરક્ષિત સ્થિતિમાં  પણ 1.8  કરોડ ડૉલર  વધીને 4.70 અરબ ડૉલર  થઈ ગઈ.

એ નોંધનીય છે કે વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર બની ગયેલું ભારત, “મેક ઇન ઇન્ડિયા” પહેલ હેઠળ તેના ઉત્પાદન ક્ષેત્રને ઝડપથી મજબૂત બનાવી રહ્યું છે. વધુમાં, યુએસ ટેરિફની અસર ઘટાડવા માટે ભારત યુકે અને યુરોપિયન યુનિયન (EU) સહિત અનેક દેશો સાથે મુક્ત વેપાર કરાર (FTA) કરીને નવા નિકાસ બજારો બનાવવા માટે પણ કામ કરી રહ્યું છે.

બજાર નિષ્ણાતો માને છે કે 2047 સુધીમાં “વિકસિત ભારત” બનવાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે દેશને આશરે આઠ ટકાનો સતત GDP વૃદ્ધિ દર જાળવી રાખવાની જરૂર પડશે. પરિણામે, ભારતે આર્થિક સુધારાઓ અમલમાં મૂકવા રોકાણ વધારવા અને વૈશ્વિક વેપારમાં તેનો હિસ્સો મજબૂત કરવા માટે ઝડપી અને નક્કર પગલાં લેવાની જરૂર પડશે.


Related Posts

Load more